Saturday, February 4, 2012

વિવાદોની મહારાણી તસ્લીમા નસરીન


      તસ્લીમા નસરીન.આ નામથી ભાગયેજ કોઇ સાહિત્યપ્રેમી અજાણ હશે. 1962માં બાંગ્લાદેશનાં મુસ્લીમ પરિવારમાં જન્મેલી તસ્લીમાં વ્યવ્સાયે ડોકટર હતી પરંતુ તેના લેખનનાં શોખને કારણે પહેલાં ડોકટરીનો વ્યવ્સાય અને ત્યારબાદ પોતાનો દેશ પણ છોડવો પડ્યો.તેણે મુખ્યત્વે કવિતાઓ,નવલકથાઓ,લેખો અને તબક્કાવાર કુલ છ ભાગોમાં આત્મકથાઓ લખી છે.હાલમાં તે ટ્વીટર ઊપર ભારત અને બાંગ્લાદેશ વિરિધી ટ્વીટ્સ કરે છે.છેલ્લા કેટલાક દિવસથી તો મારા જોવામાં સતત આવ્યું છે કે આ બેન દિવસમાં એક વખતતો ભારતને ટ્વીટર ઊપર ભાંડેજ છે.
     તસ્લીમા મુખ્યત્વે પોતાની માતૃભાષા બંગાળીમાં લખે છે છતાં તેના લેખો અને પુસ્તકોનું અંગ્રેજી ઊપરાંત ભારત અને વિશ્વની ઘણી સ્થાનિક ભાષામાં ભાષાંતર થયુ છે.તેનાં પુસ્તકોનું અન્ય ભાષાઓમાં રૂપાંતર થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે આ બેન એનાં લેખનને બને એટલુ વિવાદાસ્પદ લખે છે અને એનાથી બને એટલુ એ વિવાદોમાં રહેવાનું પસંદ કરે છે.અને માત્ર એટલા કારણોસરજ એનાં પુસ્તકો વાંચવાનો લોકોને અભરખો થાય છે.

      તેણે તેના લેખનની શરુઆત 1975થી બાંગ્લાદેશનાં મેગેઝીનોમાં કવિતાઓ લખવાથી કરેલી.ત્યારબાદ તેણે ત્યાનાં વર્તમાન પત્રોમાં કોલમો લખવાની શરુ કરી જેમાં તેણે ત્યાનાં મુસ્લીમ સમાજ અને તેમનાં રીતી-રીવાજો અને નારીવાદ ઊપર ખુલ્લેઆમ લખ્યુ જ્યાં તેનો ઠીક-ઠીક વિરોધ થયો અને નસરીન જે છાપામાં લખે એ છાપાની ઓફીસો ઊપર હમલાઓ શરુ થયાં.અને ત્યા સુધીમાં બાંગ્લાદેશ અને પશ્નિમ બંગાળનાં લોકોને તસ્લીમા નસરીન કોણ છે એની ખબર પડી ગઇ હતી.
      ત્યારબાદ 1993માં તેણે ફરી ચર્ચા ચલાવી તેની વિવાદાસ્પદ નવલકથા "લજ્જા"થી.જે નવલકથા બાંગ્લાદેશમાં લઘુમતીમાં રહેતા હિન્દુઓ અને બહુમતીમાં જીવતા મુસ્લીમો વચ્ચેનાં તણાવોની આસપાસ વણાયેલી કથા હતી.એ પુસ્તકે ભારે વિવાદ સર્જ્યો અને તેનાં આ પુસ્તકને બાંગ્લાદેશની સરકારે પ્રતિબંધીત કર્યુ.તેમજ ત્યાનાં મુસ્લીમ સંગઠનોએ તસ્લીમા વિરુધ્ધનો ફતવો જાહેર કર્યો અને સમગ્ર બાંગ્લાદેશમાં તેની વિરુધ્ધમાં દેખાવ પ્રદર્શનો શરુ થયાં તેમજ બાંગ્લાદેશને સજ્જડબંધ રખાયું.બીજી બાજુ બાંગ્લાદેશી હાઇકોર્ટે તેની વિરુધ્ધ લોકોની ધાર્મિક લાગણી દુભાવા બદલનો કેસ ફાઇલ કર્યો અને થોડા સમયનાં ખટલા બાદ તેને દેશનિકાલની ફરજ પાડી.તો બાંગ્લાદેશી સમાચાર પત્રો અને પ્રકાશકોએ એનાં કોઈ પણ પ્રકારનાં લેખનને છાપવાનું બંધ કર્યુ.
      બાંગ્લાદેશમાંથી હાંકી કઢાયેલી તસ્લીમાની હેરાનગતીનો સમય હવે શરુ થઈ ગયો હતો,અને તે ભારત સહિતનાં વિશ્વનાં વિવિધ દેશોમાં નિરાશ્રીત થઇ અહિં થી તહિં રહેવા માટેનાં વલખા મારતી હતી.એ ક્યારેક ફ્રાંસ તો ક્યારેક સ્વિડ્ન તો ક્યારેક અમેરિકા અને ભારતમાં ટુકડે-ટુકડે રહી પરંતુ એ જ્યાં ગઇ ત્યાં એણે ભારે વિરોધોનો સામનો કરવો પડ્યો.અને ભારતમાં તો એ જ્યાં રહિ ત્યાં એની ઊપર હુમલાઓ થયાં અને વિવિધ મુસ્લીમ સંગઠનોએ 5,00000 સુધીનો ફતવો એનાં માથે જાહેર કર્યો.
      વિવાદો તો ઘણાં લેખકો સાથે થયાં છે (જેમકે સલમાન રશ્દી!!) પણ આ બેન તો હાથે કરીને વિવાદનાં મધપૂડા છંછેડે છે અને આટઆટલી પરેશાનીઓ અને હેરાનગતીનો સામનો કરવા છતાં તેની આડાઇ છોડતી નથી.અને એને મનફાવે એમ લોકોની ધાર્મિક લાગણીઓ કે અન્ય બાબતોની પરવા કર્યા વિનાં ગમે એમ બફાટા કર્યે જાય છે અને મનફાવે એમ લખ્યે રાખે છે.અહિં એ સ્વીકારવુ રહ્યુ કે નસરીનનું કેટલુંક સાહિત્ય હ્દયસ્પર્શી છે ખરુ પણ બાકીનાં સાહિત્યનો અભ્યાસ કરતા માલુમ પડે છે કે આ બેનને વિવાદો સર્જ્વામાં અને સતત વિવાદોમાં રહેવુ ખુબજ પસંદ છે.એટલેજ એ વિવાદો ઊપર વિવાદો કરતીજ રહે છે અને વાંદરાંને દારુ પાવામાં ભારતનાં કહેવાતા માનવ અધીકાર વાળાઓ પણ જરાય પાછા નથી જેઓ તેને સતત પોરસ ચઢાવતાજ રહે છે.
       હાલમાં તે સ્વિડ્નમાં રહે છે તેમજ ત્યાં બેઠી બેઠી બાંગ્લાદેશ અને ભારતનાં પોપડા ઊખેડે છે અને નાની વતોનુ વાતેસર કરે છે.ભારત અને બાંગ્લાદેશને ભાંડીને થાકે ત્યારે એ સમગ્ર પુરુષોની જાત માટે મનફાવે એમ સાવ ઘસાતુ લખે છે(તે પુરુષને સ્ત્રી જાતનો સહુથી મોટો દુશ્મન માને છે!!હવે તમેજ બોલો આવો નારીવાદ સમાજનાં સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી??)તાજેતરમાં તેનુ બાંગ્લાદેશમાં "Nirbasan" નામનુ નવુ પુસ્તક પ્રકાશીત થઇ રહ્યું છે,હવે જોવાનું એ છે કે આ પુસ્તક કેટલી ચકચાર મચાવે છે...!તદ્ઊપરાંત કલકત્તા બુક ફેરમાં નસરીનનાં પુસ્તકો પર પ્રતિબંધ મુકાયો છે એટલે બેન ધૂઆં-પૂઆં છે અને ટ્વીટર ઊપર ગમે એમ ટ્વીટ કર્યે રાખે છે.Getwell Soon Taslima!