Tuesday, May 6, 2014

પાઠ્યપુસ્તકમાંથી મંચ સુધી પહોંચેલી વાર્તા





બાળપણમાં ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં ભણવામાં આવતા કેટલાક પાઠ કે કવિતા આપણને આજીવન યાદ રહેતા હોય છે. મોટા થયાં પછી ક્ષેત્ર બદલાઈ ગયું હોવા છતાં અને ભાષા-સાહિત્ય સાથે સ્નાન સૂતકનો સંબંધ રહેવા છતાં પાઠો આપણને શું કામ યાદ રહે છે? કારણકે સ્કૂલમાં પાઠો ભણતી વખતે દોસ્તારો સાથે કરેલી ઘિંગામસ્તી અને ક્લાસમાં શિક્ષક આવે પહેલાં હાકોટા પાડીને ગાયેલી કવિતાઓ સાથે સ્કૂલના સમયની કેટલીક મીઠી યાદો સંકળાયેલી હોય છે. શાળામાં ભણતી વખતે આપણે આવા પાઠોને ગંભીરતાથી ભલે નહીં લીધા હોય પરંતુ મોટા થયાં પછી પેલી યાદોને કારણે આપણે તેને વારંવાર યાદ કરતા હોઈએ છીએ. શાળાના પાઠને અહીં યાદ કરવાનું એટલે બન્યું કે વિવિધ પ્રયોગો કરવા માટે જાણીતા આપણા નાટ્યકાર અભિનય બેંકરે શાળામાં ભણવામાં આવેલી કેટલીક વાર્તાઓ સાથે એક પ્રયોગ કર્યો છે, જેને હવે ગુજરાતીના નાટ્યપ્રેમીઓહજી એક વાર્તાને નામે ઓળખે છે.

હજી એક વાર્તાનું લેખન અને દિગ્દર્શન અભિનયે પોતે કર્યું છે. અહીં પાંચ વાર્તાઓને ભેગી કરીને એક નાટક તૈયાર કરવામાં આવ્યું છે. જોકે નાટકની પાંચેય વાર્તાઓને એકબીજા સાથે કોઈ સંબંધ નથી. બધી વાર્તામાં જો કોઈ સામ્યતા હોય તો વાર્તાઓમાં રહેલું હ્યુમર છે. અગાઉ કેટલાક ગંભીર નાટકો કરી ચૂકેલા નાટ્યકારે વખતે તેમના નાટકને પ્રયત્નપૂર્વક લાઈટ મૂડનું રાખ્યું છે. નાટકની પાંચ વાર્તાઓમાંની બે વાર્તા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં ભણવામાં આવેલી વાર્તાઓ છે. તો બાકીની ત્રણ પણ અન્ય ગુજરાતી લેખકોની વાર્તા કે નિબંધ છે.

હજી એક વાર્તાનું સર્જન કઈ રીતે થયું પાછળ એક રસપ્રદ વાત છે. અભિનય અમદાવાદમાં નાટક સંબંધિત ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે. એક વાર કોઈ વર્કશોપ દરમિયાન તેઓ તેમના વિદ્યાર્થીઓ- મિત્રો સાથે બેસીને વાંચનની એક્સરસાઇઝ કરી રહ્યા હતાં ત્યારે તેમને વિચાર આવ્યો કે આપણને ભણવામાં આવેલી બધી વાર્તાઓ પરથી એક નાટક તૈયાર કરવામાં આવે તો કેવું? કોઈ પણ એક વાર્તા પરથી મોટું નાટક તૈયાર કરી શકાય એમ હતું આથી જુદા જુદા લેખકોની વિવિધ કૃતિઓ લેઈને નાટક તૈયાર કરવાનું તેમણે નક્કી કર્યું, જેથી નાટકમાં પણ વિવિધતા જળવાઈ રહે. ત્યાર બાદ તેમણે આઠમા ધોરણથી લઈને બારમા ધોરણ સુધીના ગુજરાતીના પાઠ્યપુસ્તકોનો અભ્યાસ શરૂ કર્યો અને તબક્કાવાર વાર્તાઓની પસંદગી કરતા ગયા.

જોકેહજી એક વાર્તાની પાંચેય વાર્તાઓ પાઠ્યપુસ્તકોમાંથી લઈ શકાઈ નથી. માટેગુજરાત ગાર્ડિયન અભિનય બેંકરનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે, ‘મારો મૂળ વિચાર તો બધી વાર્તાઓ પાઠ્યપુસ્તકોમાંથી લેવાનો હતો. પરંતુ કેટલીક વાર્તાઓ એવી હોય છે, જે વાંચતી વખતે ઘણી ઉત્તમ પૂરવાર થાય પરંતુ તેનું નાટ્યરૂપાંતર કરવા જઈએ ત્યારે કેટલીક તકલીફો ઊભી થતી હોય છે. આથી નાટકનું હિત જોઈને મેં પાઠ્યપુસ્તકનું વળગણ છોડી દીધું અને આપણા સાહિત્યમાં લખાયેલી અન્ય કૃતિઓ પર નજર દોડાવી.’ પાઠ્યપુસ્તકમાંથી વાર્તાકાર સરોજ પાઠકનીમારો અસબાબઅને મોતી પ્રકાશનીઝેનીનામની વાર્તાઓ લેવાઈ છે. બાકીની ત્રણ વાર્તાઓમાં હાસ્યલેખક બકુલ ત્રિપાઠીનો નિબંધક્રિકેટના કામણ’, જ્યોતિન્દ્ર દવેનીચોક્કસ અચોક્કસઅનેમુંબઈના ઘાટીનામની વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બધી વાર્તાઓની પૃષ્ઠભૂમિ અલગ અલગ છે અને તેમને એકબીજા સાથે કોઈ સંબંધ નથી. ‘મારો અસબાબમાં લગ્ન પછી પતિ પત્નીની એક બીજા પ્રત્યેની લાગણી અને તેમના સંબંધો વિશેની વાત છે. તોઝેનીમાં કોમવાદથી પર એવા બે બાળપણના મિત્રોની વાત કરવામાં આવી છે. દર્શકોનેમુંબઈના ઘાટીમાં ઘણી મજા પડે કારણકે અહીં મુંબઈમાં વસી ગયેલા એક ગુજરાતીને ઘરઘાટી શોધવામાં કેવી તકલીફ પડે છે અને ઘાટી મળ્યાં પછી તેની સાથે કયાં પ્રકારની લમણાંઝીંક કરવી પડે છે વિશેની અત્યંત હ્યુમરસ વાત મંચ પર આલેખવામાં આવી છે. અભિનયે પાંચેય વાર્તામાં આજના સમયની માગ મુજબ કેટલાક સુધારા વધારા પણ કર્યા છે. મોટા ભાગની વાર્તાઓમાં વાર્તાતત્ત્વ અને મૂળ લેખકોની શૈલી જાળવીને તેમને લગભગ ફરીથી લખવામાં આવી છે. જોકે અભિનય વાર્તાઓના મૂળ લેખકોના વખાણ કરતા થાકતા નથી. તેમના મતે, ‘આપણા સાહિત્યમાં કેટલાક લોકોએ અભૂતપૂર્વ પ્રદાન આપ્યું છે, જેનાં ફળ આજે પણ આપણે ચાખી રહ્યા છીએ.’   

હજી એક વાર્તાગઈ ૨૨મી માર્ચે મુંબઈના એનસીપીએ ખાતે સૌથી પહેલી વખત ભજવાયું હતું. પહેલો શૉ થયો ત્યારે એક તરફ મુંબઈના નાટ્યજગતના દિગ્ગજો બેઠા હતા તો બીજી તરફ માત્ર પ્રયોગ ખાતર તૈયાર કરવામાં આવેલું નાટક પહેલી વખત ભજવાઈ રહ્યું હોવાથી અભિનયને થોડી ચિંતા હતી પરંતુ નાટક જેમ ઉઘડતું ગયું તેમ પરિસ્થિતિ થાળે પડતી ગઈ અને નાટકના અંતમાં લોકોએ ઊભા થઈને નાટકને વધાવી લીધું. ગયા સપ્તાહે અમદાવાદમાં નાટકનું પ્રિમિયર યોજાયું હતું અને ત્યાં પણ નાટકને મુંબઈ જેવી સફળતા મળી હતી. લોકોના સારા પ્રતિભાવ જોયા પછી અભિનય તેમના નાટકને કમર્શિયલ નાટકનું રૂપ આપીને ગુજરાતભરમાં તેનું મંચન કરવાની ઇચ્છા ધરાવે છે.

ગુજરાતી નાટ્યપ્રેમીઓ માટે નાટક અત્યંત ફ્રેશ છે અને પ્રયોગને કારણે તેમને કંઇક નવું જોવા પણ મળશે. અભિનય બેંકરના પાછલા નાટકો જોતાં સ્પષ્ટ ખ્યાલ આવે છે કે તેઓ ચીલાચાલુ વિષયો પર નાટક તૈયાર કરવા કરતા ખૂબ વાંચી કે વિચારીને કોઈ નવા વિષય પર કામ કરવાનું વધુ પસંદ કરે છે. પહેલા તેમણે અમૃતા પ્રીતમના જીવન પરમેં તુમ્હે ફિર મિલુંગીઅને મન્ટોના જીવન પરચલતા ફિરતા બમ્બઈજેવાં નાટક તૈયાર કર્યાં હતા. ‘ લોકોને માત્ર હલકી કોમેડી ખપે છેએવા ગુજરાતીઓ પર લાગતા રહેલા પાયા વગરના ટોણાને સદંતર ખોટા ઠેરવીને મુંબઈ સહિતના ગુજરાતીઓએ તેમના બંને નાટકો(પ્રયોગો)ને ખૂબ વખાણ્યાં હતા. ‘હજી એક વાર્તાવખતે પણ અભિનયને એવો છુપો ધ્રાસ્કો હતો કે લોકોને ક્યાંક પસંદ આવ્યું તો ભારે થશે. પરંતુ વખતે પણ તેમની ધારણા ખોટી નીવડી અને મુંબઈ- અમદાવાદના દર્શકોએ તેમના પ્રયોગને વધાવી લીધો.  


1 comment:

  1. Kya baat hai !!! Would like to enjoy this play some time ... finger crossed !!!

    ReplyDelete